કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.
જાણકારો કહે છે કે રૂપાલાની આ શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
રૂપાલાની આ ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા પર ઊતરી આવ્યા છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. આ સિવાય ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજપૂત સમાજના આગેવાનો હવે ભાજપ સમક્ષ રૂપાલાને રાજકોટ ખાતેના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ કરી રહ્યા છે.
બીજી તરફ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે પણ તેના નેતાઓ આ અંગે કશું બોલવા તૈયાર નથી.
રાજકોટમાં હાલ આ મામલો એટલો ગરમ છે કે શહેરમાં રૂપાલાના નિવાસસ્થાને કડક પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
ત્યારે આ સમગ્ર વિવાદની લોકસભાની ચૂંટણી પર તેની કેવી અસર થશે તે જાણવા બીબીસીએ પક્ષના કેટલાક નેતાઓ, રાજપૂત સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના રાજકારણ પર ચાંપતી નજર રાખતા રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)