સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ફરીથી મતદાનના કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. BJPના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.
દાહોદ ખાતે બુથ કેપ્ચરિંગ કરવાની ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતાના પુત્રએ મતદાનમથક પર જઇને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમીંગ કર્યું હતું. આટલું જ હીં તેણે લોકોને બહાર ઉભા રાખી પોતે જ ભાજપને મત આપ્યા હતા. ઇવીએમ સાથે પણ તેણે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જેને લઇને ફરિયાદ થતા જ ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગઇ અને આજે તે બુથમાં ફરથી તદાન કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 11 મેના રોજ ફરીથી આ મથક પર મતદાન કરવામાં આવશે.
લોકસભા અંતર્ગત આવતા સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ફરીથી મતદાનના કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.
એ બુથ પરના તમામ મતદારો સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ફરી મતદાન કરી શકશે. મંગળવારે મતદાન દરમિયાન વિજય ભાભોરે બુથ પરનું ઈવીએમ કેપ્ચર કર્યુ હતુ. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર વિજય ભાભોરના આ નબીરાએ તેનું લાઈવ પણ કર્યુ હતું. જો કે નેતા પુત્રની આ કરતૂતની મીડિયામાં જોરદાર ચર્ચા પણ થઈ છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે પુનઃ મતદાનની પણ માગ કરી હતી. ચૂંટણી પંચના આદેશ બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ તપાસ અહેવાલ રજૂ કર્યો જેના આધાર પર ફરીથી મતદાન યોજાવા જઈ રહ્યુ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં વિજય ભાભોર અને મગન ડામોર નામના શખ્સની ધરપકડ કરી છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)